હતાશા એટલે શું?
-
નિરાશા અને હતાશા એટલે શું? ફ્રસ્ટ્રેશન શું છે? પોતાની વાત સાંભળનાર કોઇ ના મળે, સાંભળનાર કોઇ મળી જાય તો પણ, ગમે તે કારણોસર માણસ પોતાની લાગણી વ્યક્ત ના કરી શકે, મનમાં એવી ભીતિ રહ્યા કરતી હોય કે, પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવશે તો તેનો વિરોધ થશે એવી સતત મૂંઝવણ વ્યક્તિ અનુભવ્યા કરે.
-
પોતાની વાત સાથે બીજા અસંમત થશે તો? એવી આંતરીક લાગણીથી પીડાયા કરે અને છેવટે હતાશા અનુભવે. પોતાની લાગણી બીજાને જણાવવાની તક ના મળે ત્યારે માણસ અંદરથી ખલાસ થઇ જાય અને હતાશ બની જાય.
-
જ્યારે પોતાની વાતને કોઇ મહત્વ આપવામાં ના આવે, અથવા તેની કોઇ નોંધલેવામાં ના આવે તો, સ્વાભાવિકપણે નિરાશા વ્યાપે અને છેવટે તે વ્યક્તિનો આત્મવિશ્વાસ ચાલ્યો જાય. ધીમે ધીમે માણસ પોતે જ પોતાના વિષે એવું વિચારતો થઇ જાય કે, પોતે જરાય ઉપયોગી નથી અને છેવટે હતાશ થઇ જાય.
-
એવી લાગણી થઇ આવે કે, આ દુનિયા સાથે મારે કોઇ રીતે તાલ-મેલ જામતો જ નથી. આખી દુનિયા નકામી છે, સ્વાર્થી છે, વગેરે ખ્યાલો મનમાં ઉભરી આવે અને માનવી ફ્રસ્ટ્રેટ થઇ જાય. એકંદરે, પોતે કોઇ રીતે ઉપયોગી નથી અને તેથી વિરૂધ્ધ આ દુનિયા જ સાવ નકામી છે; એવા બે પ્રકારના એક-બીજાથી વિરૂધ્ધ વિચારોમાં રાચ્યા કરે.
-
અને તેવા વિચારો કરીને ઉંડી નિરાશામાં ગરકાવ થઇ જાય. દુખી થઇને જીવ્યા કરે. આવી વ્યક્તિઓ અંતર્મુખી થઇ જઇને, પોતાના જેવા બીજા દુખી લોકો જોવા મળે છે કે કેમ; તે શોધ્યા કરે. માનવી આવી રીતે ફ્રસ્ટ્રેટ થઇ જાય.
-
ખાસ કરીને નોકરીયાત વર્ગ રીટાયરમેન્ટને કારણે, તેમના અગાઉના રોજ-બરોજના રૂટીનથી અલગ થઇ જવાને કારણે રૂટીન લાઇફની તેમની રીધમ ગુમાવી બેસે છે. તેને પરીણામે, અમુક કિસ્સામાં, આ દુનિયામાં તેઓ ભૂલા પડી ગયા હોય એવું અનુભવતા હોય છે.
-
રીટાયરમેન્ટ પછી કેટલાક કિસ્સામાં શરૂઆતમાં તો છૂટકારાનો અનુભવ કરીને આનંદીત થતા હોય છે. નિવૃત્તિને કારણે મોટી રકમ હાથમાં આવી હોય એટલે પણ પોતાનું મન ભર્યુ ભર્યુ રહેતું હોય. કુટુંબ અને સમાજ પણ પોતાને પૈસાપત્ર વ્યક્તિની નજરે જુએ છે; તેવા ખ્યાલથી વ્યક્તિનો થોડો છુપો ગર્વ પણ પોષાતો હોય છે. એટલે ‘ફીલ ગુડ’ ફેક્ટરને કારણે સારૂ લાગતું હોય.
-
છેવટે જે રીતે ભૌતિક વસ્તુઓ કાયમી અને સાચો આનંદ આપી શકતી નથી; એ જ રીતે રીટાયરમેન્ટ બેનીફીટના ઢગલો રૂપિયા વધારે દિવસો સુધી આનંદ આપી શકતા નથી. બલકે, નિવૃત્ત વ્યક્તિ પાસેથી ઉછીના રૂપિયા મેળવવાના સ્વાર્થમાં જ આ દુનિયા પોતાને પ્રેમ કરે છે; એવી અનુભૂતિ થતા વ્યક્તિ વધારે પડતો સાવધાન થઇ જાય છે અને સંબંધોમાં શંકાખોર થઇ જવા પામે છે.
-
નોકરી ચાલુ હતી ત્યારે જીવનશૈલીની જે રીધમ હતી તે ગુમાવી બેસતા નિરાધારઅવસ્થા અને આ દુનિયાના સ્વાર્થીપણાના થતા કડવા અનુભવોથી હતાશાની અવસ્થામાં આવી વ્યક્તિ પોતાના જેવી બીજી વ્યક્તિઓને શોધ્યા કરે છે.
-
તે શોધ્યા કરે છે કે, એવા બીજા કોઇ પણ છે કે જેમના પણ મન આ જગતની કઠોરતાથી ખિન્ન થઇ ગયેલા હોય. નિરાશામાં પણ ક્યાંક દૂર દૂર એવી આશા હોય છે કે, જેમણે આ જગતની કઠોરતા અને અ-પ્રેમ જોયા હોય, તેવાઓને મળવું.
-
એ રીતે પોતાની એકલતાને દૂર કરવા પોતાનું વૃંદ ક્યાંક હોય તો, તે વૃંદને શોધવા આવી વ્યક્તિ ગુપ્તપણે પ્રયત્નશીલ રહેતી હોય છે. તેમનો આશય એટલો જ હોય કે, જેથી પોતાના વિચારોને ક્યાંક તો સમર્થન મળે. આવી મનોભૂમિકાએ નિવૃત્ત અને વૃધ્ધ વ્યક્તિઓ મંદિર, મહાદેવ કે બગીચામાં જઇને બેસે અને એમના જેવા વયોવૃધ્ધ અને નિવૃત્ત લોકોને ખોળી કાઢે.
-
વડીલવૃંદોમાં એક બીજાની વાતો સાંભળીને પોતાની વાતો બીજાને કહેવાતી હોય છે.
-
એક રીતે જોતાં આમાં કશું ય ખોટુ નથી. આ સારી વાત છે. પોતાની વાત બીજાને કહેતાં કહેતાં દુનિયાના બીજા દુખી લોકો તેમની પોતાની વાતો આવી વ્યક્તિને અચૂક સંભળાવશે.
-
કહેવા-સાંભળવાની આ રમતમાં, ક્યારેક મનોમંથન થતાં સાચી પરિસ્થિતી સમજાઇ પણ જાય. આવા મનોમંથનથી માની લીધેલા દુઃખ અને ખરેખર પરિસ્થિતીગત દુઃખોની વાસ્તવિકતાનો સાચો ખ્યાલ આવી વ્યક્તિને પોતાને આવે. બીજાના દુઃખોની સરખામણીમાં પોતાના દુઃખોની માત્રા ઘણી ઓછી છે; એવો ખ્યાલ પણ આવે. પોતાના જેવા બીજાઓને શોધીને પોતાના દૃષ્ટિકોણ માટે સમર્થન મેળવવાના આ મનોમંથનમાંથી પ્રવર્તમાન પરિસ્થિતીનો સામનો કરવાની સમજણ પણ કદાચ કેળવાઇ જાય.
-
પરંતુ, કેટલાક લોકો તો ઘરની બહાર જાય જ નહીં અને કોઇની સાથે ભળી પણ ના શકે. નિવૃત્તિ થઇ ગઇ હોય, કોઇ હોદ્દો ના રહ્યો હોય તો પણ નિવૃત્ત થયેલા પૈકી અમુક હોદ્દાથી નીચેના હોય તેવા લોકોને વાત કરવાયોગ્ય કે મળવાયોગ્ય પણ ના ગણે.
-
પોતાને ચાલવાની તકલીફ છે, અથવા બધા ડોસલાઓ ભેગા થઇને નક્કામી વાતો કરે છે; એવો અભિપ્રાય બાંધીને એકલા અટૂલા જ રહે. ઘરના ખૂણે ભરાઇ રહે.
- ખાસ કરીને આવી વ્યક્તિઓ એકલા રહેવાને કારણે વધુ નિરાશ થઇને હતાશ થઇ જતા હોય છે. ઇશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન.. વાળા ભજનની સ્પિરીટ જ આવી વ્યક્તિઓ ગુમાવી બેસતી હોય છે. એ ભજનની સ્પીરીટ બહુ સરસ છે.
‘‘…ઇસ ધરતી પર બસને વાલે,
સબ હૈ તેરી ગોદકે પાલે,
કોઇ નીચ ન કોઇ મહાન,
સબકો સન્મતી દે ભગવાન,
જાતો નસલોકે બટવારે,
જૂઠ કહા યે તેરે દ્વારે,
તેરે લિયે સબ એક સમાન,
સબકો સન્મતિ દે ભગવાન.’’
હતાશ વ્યક્તિઓ આ ગીતની મૂળભૂત વિચારધારાથી એટલા બધા દૂર જતા રહ્યા હોય કે જીંદગીની ગમે તેટલી ભીડમાં ય આવી વ્યક્તિઓ એકલાતામાં રાચીને હતાશ થઇ જતા હોય છે.
આગળની કડી…
Clear and detailed analysis. Awaiting Part 2.
ખુબ સ્પષ્ટ લખાણ. નિરાશા એ હૃદયની દર્બળતા ગણાય. વૃધ્ધાવસ્થા પણ જેના રસ-કસ ન હરી શકે તે ઉંમરે વૃધ્ધ હોય તો પણ યુવાન કહેવાય.
ગમે તેટલી નિરાશાજનક પરિસ્થિતી લાગતી હોય છતાં વૃધ્ધો પાસે સૌથી મોટી મૂડી એ જીંદગીનો પોતાનો અનુભવ હોય છે… જે તેઓએ સમાજને આપવાનો, અને આપે તો નિરાશા વ્યાપે નહીં. મન ઈશ્વરમાં પરોવાયેલ હોય તો કોઇ નિરાશ કે કંટાળાને અવકાશ ના રહે. સમાજસેવા કે ઇશ્વરભક્તિમાં રહેવાથી જીવન ગૌરવશાળી લાગે… લઘુતાગ્રંથી દૂર થાય.
બ્લોગનું શીર્ષક ગમ્યુ…
રાગ ‘ને દ્વેષ તો પ્રેમમાં પલટાયે..
જેને વિષયોનું ઉર્ધવીકરણ કહેવાય….
સુખાનુશયી રાગઃ અને દુખાનુશયી દ્વેષઃ આમ વ્યાખ્યા છે..પંચ ક્લેશમાના બે..અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષા અભિનિવેશા, પંચ ક્લેશ પતંજલિ..કહે છે.
રાગ દ્વેષથી પર હોય તે પ્રેમ ઉચ્ચ છે..તે પ્રેમ વ્યક્તિ ગમે રૂપ ગમે ગુણ ગમે તેથી નથી…નારદે પ્રેમની સરસ વાત કરી..ગુણરહિતમ્..કામનારહિતમ્…પ્રતિક્ષણ વર્ધમાન, અવિચ્છીન્નામ્ અનુભવરૂપમ્ આદિ….
ખુબ ગમ્યું આપના બ્લોગમા આવી..આપ મારે ત્યા પધારેલ માટે આભાર..
-દિલીપ
આવા મનોમંથનથી કેટલાક માની લીધેલા દુઃખ અને ખરેખર પરિસ્થિતીગત વાસ્તવિક દુઃખોનો ભેદ પામી પણ શકે. બીજા લોકોના દુઃખોની સરખામણીમાં પોતાના દુઃખોની માત્રા ઘણી ઓછી છે; એવો ખ્યાલ પણ આવી શકે. પોતાના જેવા બીજાઓને શોધીને પોતાના દૃષ્ટિકોણ માટે સમર્થન મેળવવાના આ મનોમંથનમાંથી પ્રવર્તમાન પરિસ્થિતીનો સામનો કરવાની સમજણ પણ કેળવાઇ શકે.
……..
સુંદર મનોમંથન અને સામાજીક સમસ્યાનું વિશ્લેષણ
સાથે અંગૂલી નિર્દેશન પૂર્ણ લેખ.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
ખૂબ સરસ
હતાશાની દવાની આડ અસર ઘણી!ભજનથી અનેક રોગો શારીરિક,માનસિક,ાઅધ્યાત્મિકની સારવાર…
ભજન કર મનજી રામ થોડી જીંદગાની
ઈસ માયા કા ગર્વ ન કરીયે, અંત સંગ નહીં આની
ઈસ દેહી કા માન ન કરીયે, યહી ખાક હો જાની … ભજન કર
ભાઈ બંધુ તેરે કુટુંબ કબીલા, કર રહે ખેંચાતાની
કહત કબીર સુનો ભાઈ સાધો, રહ જાય અમર નિશાની .. ભજન કર.
– સંત કબીર
so nice.
suresh soni.