પાકિસ્તાને નિકાસ કરેલા 10 આતંકવાદીઓ પૈકીનો એક અજમલ કસાબ હજુ આજે પણ જીવતો છે, એનો ગુનો સાબિત કરવાની ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે..એક વર્ષવથઈ ગયું, આ નીચ દેશના નીચ માણસે આપણા દેશના સેંકડો માણસોને ગોળીએ વિંધી નાખ્યા છે !! આપણે કયા યુગમાં જીવીએ છીએ? કે એ હજુ આજે પણ આપણી ધરતી ઉપર હયાત છે ..જીવે છે.. શ્વાસ લે છે !!
એક વર્ષ
એક વર્ષ થઇ ગયું,
બંદૂકના નાળચામાંથી નફરતની ગોળીઓ ઓકનાર
સાબૂત અને મજબૂત કોર્ટની કચેરીમાં –
ઓકે નર્યુ જૂઠ, ‘અતિથિ દેવો ભવ’ ના આ દેશમાં !!
એક વરસ તો જતું રહ્યું,
એમ ને એમ.
કોરટ, વકીલ, ‘ને રાષ્ટ્ર,
કોની રાહ જોતાં બેઠા છે આજ ?
શું સાબિત કરવાના છે,
આ તો ગઇ કાલની નક્કર વાત !!
દહેશત, શંકા, કુશંકા, ધમકી ને ચેતવણી પણ,
ઉઠે છે પડકારો પેલે પારથી, નથી એ પાક,
બસ, ગઇકાલની જેમ જ !!
વાવડ છે, એંધાણ છે અગમના, જાગતા રહેજો –
આવતીકાલ પણ હશે, જેવી હતી ગઇકાલ –
આ તે સાવચેતી, સાવધાની કે ચેતવણી !!
કે પછી ધમકીના ધખારા ?
હાથ જોડી બેઠો છે શા માટે આજે દેશ?
એક વરસ તો જતું રહ્યું, એમ ને એમ !!
હાહાકાર અને ચીચીયારીઓ શમી ગઇ,
શું સંવેદના મરી ગઇ ?
એક વરસ તો જતું રહ્યુ,
એમ ને એમ !!
કોઇનોય પ્રેમ ઓછો હોતો નથી,
અપેક્ષાઓ જ હોય છે ઘણી બધી,
ક્યાં ભૂલ થઇ, કેમ પડ્યો પ્રેમ ઓછો ?
ધિક્કરવામાં આવે છે – ધિક્કારવામાં આવે છે –
ના કારણે ઓકવામાં આવે નર્યો ધિક્કાર
ક્યાં ભૂલ થઇ, કેમ પડ્યો પ્રેમ ઓછો ?
– પી. યુ. ઠક્કર
સરસ રચના…… સમયોચિત તો ખરી જ…
કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
હા, આ વખતે આ અતિથિના પ્રકાર પ્રમાણે પ્રેમ દાખવવો જોઈએ
બાકી તો આપણો કાયદો કરી રહ્યો છે..
સરસ રચના…… સમયોચિત તો ખરી જ…
પરિસ્થિતીનું સચોટ કાવ્યાત્મક નિરૂપણ.
જે દેશ પ્રતિભાઓનું યોગ્ય સન્માન નથી કરતો તે દેશમાંથી પ્રતિભાશાળીઓ ચાલ્યા જાય છે. એ જ રીતે, જે દેશ ગુનેગારોને પુરતી સજા નથી કરતો તે દેશ ગુનેગારોનું સ્વર્ગ બની જાય છે.
દેશવાસીઓની વ્યથાને સચોટ કાવ્યદેહ આપ્યો છે.
જે ઉંઘતા હોય, તેમને જગાડી શકાય
જે જાગવા ન માંગતા હોય તેમને નહીં .
A good narration of present situation.
Same is the position of our political parties and people at large. They don’t do anything. Helplessly ??
Congrats to Pravinbhai.
saras rachana.
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
Dear Pravinbhai,
I am unable to describe in words the happiness I have felt on visiting your website.
Congrats.
Yours,
Nicholas Evans.
વિશ્વ સામે આજે આતંકવાદ એ ભયંકર સમસ્યા છે અને દેશહિતને પ્રાધાન્ય આપવાની જગ્યાએ
માનવતાને હણતાને માનવાતાની દુહાઈથી વધાવતી નેતાગીરીને અનેક પોતાના બંધુઓની
વ્યથા ક્યારે સમજાશે?
એક દૃષ્ટિવંત રચના.
રમેશ પટેલ(આકાશદીપ)
થોડા સમય પહેલા ના ધ સંડે ઇંડિયન ના તંત્રી લેખમા આવ્યુ હતુ કે ભારતમા પણ ઇજીપ્ત જેવા હાલ થાય તે પહેલા સરકાર જાગી જાય. લેખકની દાનત પ્રજા ને કંઇક જાગૃત કરવાની હતી પરંતુ વાસ્તવિકતા તો એ છે કે પ્રજા ને મતદાન કરવામા પણ રસ નથી તો ઇજીપ્ત જેવા હાલ થવાની તો કોઇ શક્યતા જ નથી. સુરેશ ભાઇ જાની એ કહ્યુ તેમ ઉંઘતા હોય તેને જગાડી શકાય પરંતુ જે જાગવા ન માંગતા હોય તેને નહી. –સુંદર રચના…
જિજ્ઞેશભાઇ અધ્યારૂ, પિયુષભાઇ મહેતા, અતુલભાઇ જાની, સુરેશભાઇ સોની, મયુરભાઇ પ્રજાપતિ, નિકોલસભાઇ, રમેશભાઇ પટેલ (આકાશદીપ), રવિરાજસિંહજી જાડેજા – પ્રતિભાવ બદલ આભાર.
અલબત્ત ઇજીપ્ત જેવા હાલ તો ભારતમાં નહીં થાય એમ લાગે છે. પણ જુદા જુદા કાળમાં, જુદા જુદા સ્વરૂપે, ધર્મો (હિન્દુ, ખ્રિસ્તી, ઇસ્લામ…) કોઇનાય સંપર્ક વગર પોતાની રીતે જ ઉદભવ્યા હતા. એ જ રીતે થોડા વર્ષો પહેલાં આઝાદીનો વાયરો વિશ્વમાં ફૂંકાયો હતો. એમ હવે જુદા જુદા દેશોમાં ક્રાંતિનો વાયરો ફૂંકાયો છે. તે પવન ગમે ત્યારે ગમે ત્યાં ફૂંકાઇ શકે છે. માનવોના મનોને કોણ જાણે કોણ દોરવણી આપે છે ?
ક્યાં ભૂલ થઇ, કેમ પડ્યો પ્રેમ ઓછો ?
………………………………..
ના, ના, એવું તમે ના કહેશો,
પ્રેમ જ આપ્યો છે એવું કહેશો,
પ્રેમ સિવાય નથી આપવા માટે આ જગમાં,
છોડો ચિંતાઓ, અને કરો નવા વિચારો જગમાં,
ભુલ જરા પણ નથી તમારી,
વાત આવી હવે માનજો મારી !
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Pravinbhai..My 2nd Comment here..See you on Chandrapukar ( Hope you bring Minaben too !)
A very good creation. I liked ths one. Keep it up!!
I am fond of Gujarati Sahitya.
Please send me your every creation through mail.
Send me a bhajans from minaben ‘ voice . We want to listen