જીંદગીએ કરી નરી બેવફાઇ,
હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !
નફરત ‘ને ધિક્કારને
પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !
કંઇક શબ્દોના ખોટા અર્થઘટને
જીવનના સંબંધો બગાડ્યા,
હે મૃત્યુ, તું તો સુધારી દે,
આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું !
પરીક્ષાની આગલી રાત્રિએ જ
ગણિતના અઘરા કોયડા ઉકલ્યા,
તેમ, મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં
સ્નેહના પગરણ માંડ્યા !
જીંદગી ફરી મળે તો,
પ્યાર વહાવી દઉં, અફાટ અવકાશમાં,
ધિક્કારના અવકાશને સ્નેહથી ભરી દઉં,
આપ ઘડી બે-ઘડી, હે મૃત્યુ !
હે મૃત્યુ, થોડું તો થોભી જા,
તું તો ના કર બેવફાઇ,
તું ક્યા જીંદગી છે ? હે મૃત્યુ,
તને વ્હાલ કરી લઉં,
નફરતને પ્યારમાં ફેરવી દઉં,
મૃત્યુને જીવનમાં ફેરવી દઉં !!
- પી. યુ. ઠક્કર