મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં…

જીંદગીએ કરી નરી બેવફાઇ,

હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે !

નફરત ને ધિક્કારને

પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે !

 

કંઇક શબ્‍દોના ખોટા અર્થઘટને

જીવનના સંબંધો બગાડ્યા,

હે મૃત્‍યુ, તું તો સુધારી દે,

આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું !

 

પરીક્ષાની આગલી રાત્રિએ જ

ગણિતના અઘરા કોયડા ઉકલ્‍યા,

તેમ, મૃત્યુએ તેના છેલ્લા પ્રકરણમાં

સ્‍નેહના પગરણ માંડ્યા !

 

જીંદગી ફરી મળે તો,

પ્‍યાર વહાવી દઉં, અફાટ અવકાશમાં,

ધિક્કારના અવકાશને સ્‍નેહથી ભરી દઉં,

આપ ઘડી બે-ઘડી, હે મૃત્‍યુ !

 

હે મૃત્‍યુ, થોડું તો થોભી જા,

તું તો ના કર બેવફાઇ,

તું ક્યા જીંદગી છે ? હે મૃત્‍યુ,

તને વ્‍હાલ કરી લઉં,

નફરતને પ્‍યારમાં ફેરવી દઉં,

મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં !!

- પી. યુ. ઠક્કર

1 Comment

  1. November 14, 2009 at 12:55 pm

    Very Very Nice…મૃત્યુને પણ પ્રેમ થી જીતવાની વાત તો કવિ અને આશાવાદી તથા હકારાત્મક અભિગમ ધરવનારા જ કરી શકે. ખુબ જ સરસ કાવ્ય.


Post a Comment